વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન-vicharti-vimukt-loan-scheme

 

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન-vicharti-vimukt-loan-scheme

 

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન ગુજરાત સરકારે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. સરકાર અલગ અલગ સમાજોને પોતાની અલગ નિગમો બનાવી છે.

રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ આવેલું છે. તેના સહયોગથી ગુજરાત વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન આપવામાં આવે છે. આ નિગમ ગાંધીનગરમાં આવેલું છે.

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન-vicharti-vimukt-loan-scheme
વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન-vicharti-vimukt-loan-scheme



અલગ અલગ નિગમો જે સમાજ માટે બનાવવામાં આવેલ છેતે પ્રમાણે તે કામ કરે છે. વિવિધ સમાજોના નિગમો સરકારમા છે.

તે વિવિધ નિગમોને એક ચોકકચ જ્ઞાતિ કે સમાજ ના વિકાસ અને તેના પ્રશ્નો મુદ્દે કામ કરવાનું હોય છે. તે મુજબ આ પેલા પણ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ હેઠળ તે એક સમાજને આ પ્રકારની યોજના બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી હતી.

આજે વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન ની યોજના સરકાર લાવી છે. તો ચાલો જોઈએ શું છે આ યોજનાકેવી રીતે લાભ મળેશું ડૉક્યુમેન્ટ જોઈએફોર્મ ક્યાં ભરવાનુંકેટલી લોન યોજનાઓ છેવિવિધ મુદ્દા વિશે વિસ્તારથી જાણીશું.


વધુ dekhalo:-  મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 




વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન ની યોજનામાં નીચે મુજબના વિવિધ મુદ્દા પર વાત કરવામાં આવી છે.

  1.   વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન નો લાભ કોને કોને મળે ?
  2. વિચરતી અને વિમુક્ત જાતિમાં કોનો કોનો સમાવેશ થાય છે ? 
  3.   કેટલી યોજના સરકાર લાવી છે?
  4.  કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?
  5.  શું ડૉક્યુમેન્ટ જોઈએ.?
  6.   આ યોજનાનુ ફોર્મ ક્યાં ભરવાનું ?
  7.  ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ?
  8.  કઈ યોજનામા કેટલી લોન અને કેટલા વ્યાજદરથી આપે છે?
  9.  યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.

 


વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


 

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન નો લાભ કોને કોને મળે ?

આ વિવિધ લોનની યોજનાઓનો લાભ ગુજરાતમાં વસતા તમામ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મળે છે. ગુજરાત રાજયમાં બહોળા પ્રમાણમા વિચરતી અને વિમુક્ત જાતિ વસે છે.

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન ની યોજના એક આશીર્વાદ રૂપ છે. કારણકેઘણા વિચરતી અને વિમુક્ત જાતિના યુવાનો પોતાની ઘરની પરિસ્થિતી નબળી હોવાથી ક્યાક સારો ધંધો કરી શકતા નથી. તો ક્યાક આ સમાજ ગરીબીને કારણે પોતાના ટેલેન્ટેડ છોકરાને આગળ ભણાવી શકતા નથી. આજે ઘણા ઘર એવા છે કે તે પોતાની પારંપરિક કળા કૌશલ ધરાવતો હોય છતાંક્યાક પૈસાની તંગીને કારણે આગળ આવી શકતો નથી.

આપડા આ વિચરતી અને વિમુક્ત સમાજ માટે આર્થિક પ્રશ્નને સરકારે વાચા આપી છે. ત્યારે ખૂબ બહોળા પ્રમાણમા આ વિવિધ યોજનાનો લાભ લોકો લે.

અલગ અલગ 5 પ્રકારની લોનની અરજીઓ સરકાર મારફત મંગાવવામાં આવી છે. તો તેમાં અરજદારને પોતાના ફિલ્ડમાં કામ કરતાં હોય અથવા કોઈપણ ક્ષેત્રમાં અનુભવ હોય તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.


વધુ dekhalo:-  ઠાકોર અને કોળી સમાજ માટે લોન લેવા અહિ ક્લિક કરો. 


વિચરતી અને વિમુક્ત જાતિમાં કોનો કોનો સમાવેશ થાય છે ? 

  • નીચે આપેલ સમાજો વિચરતી અને વિમુક્ત જાતિમાં સમાવેશ થાય છે. વિચરતી અને વિમુક્ત બંને અલગ અલગ છે.
  • નીચે આપેલ લિસ્ટ વિચરતી જાતિનું છે. નીચે આપેલા તમામ સમાજોનો વિચરતી જાતિમાં થાય છે. 

ક્રમ

જાતિ ( પર્યાય શબ્દ સાથે )

1

નટ બજાણીયા

 ( બાજીગર,નટ,નટડા,બજાણીયા )

2

ભાંડ

3

કાથોડી

4

ગારુડી

5

નાથ બાવા ( નાથ, ભરથરી )

6

તુરી ( અ.જા )

7

કોટવાળિયા  ( અ.જ.જા )

8

વાદી ( જોગીવાદી, મદારી )

9

બાવા વૈરાગી

10

વાંસફોડા

11

ગરો ( અ.જા ) ( ગરોડા )

12

મારવાડા વાઘરી 

 ( મારવાડા, બાવરી )

13

પારધી ( અ.જ.જા ) ( પારાધી )

14

ઓડ

15

શિકલીગર

16

રાવળ ( રાવળયોગી )

17

વણજારા ( શિનાંગવાળા અને કાંગસીવાળા )

18

સરાણીયા

19

જોગી

20

ભોપા

21

ગાડલીયા ( ગાડી લુહારિયા, લુવારિયા,લુહારિયા )

22

ઘંટીયા

23

ચામઠા

24

કાંગસિયા

25

સલાટ ઘેરા

26

ચારણ-ગઢવી ( જુના વડોદરા રાજય પ્રદેશના )

27

વિટોળિયા ( અ.જ.જા )

28

 ભવૈયા (તરગાળા, ભવાયા, નાયક, ભોજક )


  • નીચે આપેલ લિસ્ટ વિમુક્ત જાતિનું છે. 

ક્રમ

જાતિ ( પર્યાય શબ્દ સાથે )

1

છારા ( સાણસીયા, આડોડીયા )

2

બાફણ

3

ડફેર

4

મે ( મેતા )

5

હિંગોરા

6

મિયાણા ( કાક, કિંચા )

7

ઠેબા

8

સંધિ

9

વાઘરી

10

વાઘેર

11

ચૂવાળિયા કોળી

12

કોળી ( માત્ર કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકાનાં )

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન માં કેટલી યોજના સરકાર લાવી છે ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત સમાજ માટે અલગ અલગ 5 પ્રકારની લોનની યોજનાઓ સરકાર લાવી છે. જે નીચે મુજબ છે.

·         નીચે આપેલી બધી યોજનાઓની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

 

1

લઘુ ધિરાણ યોજના     ( માઇક્રોફાઇનાન્સ )

2

શૈક્ષણિક લોન યોજના    ( ન્યુ આકાંક્ષા યોજના )

3

મુદતી લોન યોજના

4

નવી સ્વર્ણિમ યોજના      ( ફક્ત મહિલાઓ માટે )

5

મહિલા સમૃધ્ધિ યોજના

 

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન માટેની યોજનામા ઉપર મુજબની યોજનાઓ છે.

કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?

·         અલગ અલગ 6 પ્રકારની યોજના માટે નીચે મુજબની લોન માટે કેટલા રૂપિયા અને તેનો વાર્ષિક વ્યાજદર આપેલો છે.

 

 

ક્રમ

યોજનાનુ નામ

કેટલી લોન આપશે ?

વ્યાજદર

( વાર્ષિક )

1

લઘુ ધિરાણ યોજના

( માઇક્રોફાઇનાન્સ )

1.25 લાખ

5 % વાર્ષિક

2

શૈક્ષણિક લોન યોજના

( ન્યુ આકાંક્ષા યોજના )

10 લાખ

3.5% છોકરી માટે

4 % છોકરા માટે

3

મુદતી લોન યોજના

2 લાખ

6 % વાર્ષિક

4

નવી સ્વર્ણિમ યોજના

( ફક્ત મહિલાઓ માટે)

 2 લાખ  

5 % વાર્ષિક

5

મહિલા સમૃધ્ધિ યોજના

1.25 લાખ

4 % વાર્ષિક

 

 

 

શું ડૉક્યુમેન્ટ જોઈએ.?

·         નીચે મુજબના ડૉક્યુમેન્ટ જોઈએ.અલગ અલગ યોજના મુજબ અલગ અલગ ડૉક્યુમેન્ટ જોઈએ. અહી ફક્ત બેજીક ડૉક્યુમેન્ટ આપેલા છે.

o    અરજદારનું સ્કુલલિવિંગ સર્ટિફિકેટ

o    રેશનકાર્ડ

o    આધારકાર્ડ

o    જાતિનો દાખલો

o    આવકનો દાખલો

o    કોઈપણ કામના અનુભવનો દાખલો

o    કોટેશન બીલ

o    બેન્ક પાસબુક

ઉપરના બધા જ ડૉક્યુમેન્ટ માં પોતે નીચે સહી કરી સ્વ-પ્રમાણિત નકલ કરી લેવી ફરજિયાત છે.


વધુ વાંચો : ઓબીસી સમાજ માટે લોન લેવા માટે અહી ક્લિક કરો.

 

 

વિચરતી અને વિમુક્ત સમાજ માટે લોન ની યોજનામાં ફોર્મ ક્યાં ભરવું ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે  પ્રકારની લોનની યોજના માટે લોકોએ ક્યાય પણ કચેરીએ જવાનું નથી. કેમકેઆ બધી યોજનાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. તેમજ તમે પોતાની જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.

આ યોજનાની છેલ્લી તારીખ : 20/02/2021  છે. આજથી એક મહિના સુધી આ લોનની યોજનાના ફોર્મ ભરાશે.

  • ધ્યાનમાં રાખવાની બાબતો.
    • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમામ ડૉક્યુમેન્ટ તેમાં માંગેલા ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે.
    • જે અરજદાર લોન લેવા ઈચ્છતો હોય તેને 20/02/2021 સુધીમાં અરજી કરવાની રહેશે. 
    • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિનો હોવો જોઈએ.
    • અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી ઓછી હોવી જોઈએ.
    • અરજદારની ઉમર અરજી કર્યાના દિવસે ધંધા વ્યવસાય માટે 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
    • અરજી કરતી વખતે આધાર નંબર લિન્ક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

તમારા નજીકના ઓનલાઇન ફોર્મ ભરતા હોય ત્યાં જઇ અથવા સાઇબર કાફેમાં જઈ તમે આ યોજનાઓનો લાભ લઈ શકો છો.

તમારી જાતે તમારે ફોર્મ ભરવું હોય તો નીચેની લિન્ક પર ક્લિક કરો .વિચરતી અને વિમુક્ત જાતિ નિગમ 

  

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું