બિન અનામત વર્ગની યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. તેથી સરકાર દ્વ્રારા આયોગ પણ બનાવવામાં આવ્યું છે.
બિન અનામત વર્ગની યોજનાઓ | bin anamat vargani yojanao |
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ એટલે શું?
બિન અનામત વર્ગોની સમસ્યાઓ અને પીડાઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા તા. 05/10/2017 ના જાહેરનામાથી કાયમી આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગ " ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ" તરીકે ઓળખાય છે.
સર્વાંગી વિકાસ થકી સામાજિક સમરસતા જાળવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અને સરકારના અભિગમને સાકાર કરવા બિનઅનામત વર્ગના ઉત્કર્ષ માટે આ આયોગ કામ કરે છે. આ ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ દ્વારા બિન અનામત વર્ગની યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.15/08/2018 ના ઠરાવ ક્રમાંક :ઇબીસી/102018/814/અ.1 ના ઠરાવથી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
બિન અનામત વર્ગની યોજનાઓ માં કઈ કઈ યોજનાનો સમાવેશ થાય છે.
- આ આયોગની યોજનાઓમાં અલગ અલગ કેટેગરી મુજબ સરકારની પહેલાની યોજનાનો પણ સમાવેશ કરેલો છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોનું આયોગ દ્વારા બહાર પાડવામાં યોજના
- બિન અનામત વર્ગો માટે અલાયદી યોજનાઓ
- ભોજન બીલ સહાય
- કોચિંગ સહાય
- JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચિંગ સહાય
- સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય
- સ્નાતક તબીબી, વકીલ, ટેકનિકલ સ્નાતક માટે લીધેલ લોન પર વ્યાજ સહાય
- શૈક્ષણિક અભ્યાસ યોજના
- વિદેશ અભ્યાસ લોન
- સ્વ-રોજગારલક્ષી યોજનાઓ ( લોન )
- કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેની લોન
નીચે આપેલી યોજનાઓ બધાજ વર્ગોને લાગુ પડતી યોજનાઓ છે.
- શિક્ષણલક્ષી યોજનાઓ
- મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના ( MYSY )
- મફત અને ફરિજિયાત શિક્ષણનો અધિકાર ( RTE ) અંતર્ગત શાળામાં પ્રવેશ
- શિષ્યવૃતિ - શિક્ષણ વિભાગ
- વિકલાંગ વિદ્યાર્થીઓ માટે વિકલાંગ શિષ્યવૃતિ યોજના
- પેન્શન યોજનાઓ
- અટલ પેન્શન યોજના ( કેન્દ્ર સરકાર )
- વૃધ્ધ પેન્શન યોજના ( રાજ્ય સરકાર )
- આરોગ્યલક્ષી યોજનાઓ
- શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ
- રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ
- મુખ્યમંત્રી અમૃતમ " માં " યોજના
- ચિરંજીવી યોજના
- આંગણવાડી થકી મહિલા - બાળ પોષણ
- મુખ્યમંત્રી રાહત ફંડ
- સમાજ સુરક્ષા યોજના
- નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
- સંકટ મોચન ( રાષ્ટ્રીય કુટુંબ સહાય ) યોજના
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના ( વય વંદના યોજના ) IGNOAPS
- અનાથ બાળકોને માસિક રૂ. 3000 ની સહાયની યોજના
- કુદરતી આપત્તિઓને કારણે થતાં નુકશાન માટેના નાણાકીય સહાયની યોજના
- વ્હાલી દીકરી યોજના ( આ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.)
- પાલક માતા-પિતા યોજના
- રોજગારલક્ષી યોજનાઓ
- મિશન મંગલમ
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના - MUDRA
- ઔધ્યોગિક નીતિ 2015 માં મહિલા ઉધ્યોગકારો માટે વિશેષ પ્રોત્સાહનો ગુજરાત સરકારની અનોખી પહેલ
- કમિશ્નર, કુટીર અને ગ્રામોધ્યોગ ( ગુજરાત સરકાર )- કૌશલ વધારીને કુશળ બનાવતી અને નાણાકીય સહાય સાથે સહકાર આપતી અનોખી યોજના
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
- કૃષિ વિષયક યોજનાઓ
રિમોટ વાળો પંખો |
- પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના - ( PMFBY )
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
- ખેત ઓજારની સહાય - ખેડૂતોની ખેતીના ઓજારો માટે નાણાકીય સાહી આપતી યોજના
- ખેડૂત અકસ્માત વીમા યોજના ( આ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો )
- પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
બિન અનામત વર્ગની યોજનાઓ નો લાભ કેવી રીતે લઈ શકાય ?
- આ યોજનાઓનો લાભ તાલુકા મથકે અથવા મામલતદાર કચેરી એ જઈ લઈ શકાય છે. અલગ અલગ યોજનાઓ ના ફોર્મ અલગ હોય છે. જેથી દરેક માટેના ડૉક્યુમેન્ટ પણ અલગ હોય છે. તેથી યોજનાના ફોર્મ પ્રમાણે ડૉક્યુમેન્ટ ભેગા કરી દરેક યોજનાઓનો લાભ લઈ શકાય છે.
બિન અનામત વર્ગની યોજનાઓ નો લાભ શું ઓનલાઇન લઈ શકાય ?
- જી. હા. મિત્રો, ઉપરોક્ત બિન અનામત વર્ગની યોજનાઓ આપેલી છે તેમાં આયોગની વેબસાઇટ પર જઈ ઉપરોક્ત બધીજ યોજનાઓનો લાભ લઈ શકાય છે.
બિન અનામત વર્ગની યોજનાઓ માં કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ થાય ?
- નીચે મુજબની જાતિઓનો સમાવેશ બિન અનામત વર્ગમાં કરવામાં આવેલ છે.
- બિન અનામત હિન્દુ જાતિઓ
બ્રહ્મ ક્ષત્રિય | વૈષ્ણવ વાણિયા |
ક્ષત્રિય પ્રભુ | ભાટિયા |
નાગર બ્રાહમણ | વૈષ્ણવ શાહ |
બ્રાહમણ | ખડાયતા |
અનાવિલ બ્રાહમણ | પુજારા |
વળાદરા બ્રાહમણ | કેર |
ઔદિચ્ય બ્રાહમણ | ખત્રિ |
મેવાડા બ્રાહમણ | ભાવસાર જૈન |
તપોધન બ્રાહમણ | નાન્યેત્તર જાતિ ( sc,st,obc/sebc માં ન હોય તે ) |
સાંચોરા બ્રાહમણ | કણબી, કળબી |
મોઢ બ્રાહમણ | કડવા પાટીદાર, પટેલ |
ગુગળી બ્રાહમણ | લઉવા પાટીદાર, પટેલ |
શ્રીમાળી બ્રાહમણ | શ્વેતાંબર જૈન વાણિયા |
સારસ્વત બ્રાહમણ | લાડ વાણિયા |
રાજપૂત , રજપૂત | દિગંબર વાણિયા |
ક્ષત્રિય | ભાવસાર |
લોહાણા, લુવાણા, લુહાણા | મણિયાર |
મંડાલી | દશા,વિસા જૈન |
પોરવાલ જૈન | મરાઠા રાજપૂત ( ગુજરાતમાં સ્થાયી થયેલ ) |
સોમપુરા, સોમપુરા બ્રાહમણ ( ઘંગીયા સલાટ સિવાયના ) | મહારાષ્ટ્રીયન ( જે sc,st,obc/sebc માં ણ હોય અને મૂળ ) |
સિંધી ( જે obc/sebc માં ણ હોય તે ) | સોની, સોનાર, સુવર્ણકાર |
રાજપૂત ગરાસિયા, હિન્દુ દરબાર ( જે sebc/obc માં ન | કંસારા |
ભાનુશાલી,ભાનુશાળી, કચ્છી ભાનુશાળી, હાલારી ભાનુશાળી | કંદોઇ, સુખડીયા ( જે sebc/obc ન હોય તે ) |
મોઢ પટેલ ( જે sebc/obc ન હોય તે ) | ખમાર |
2. બિન અનામત મુસ્લિમ જાતિઓ
- નીચે મુજબની જાતિઓનો સમાવેશ બિન અનામત વર્ગમાં કરવામાં આવેલ છે.
બાવચી | સૈયદ |
બલોચ | મોલેસલામ ગરસિયા |
ભાંડેલા | મોગલ |
દાઉદી વોરા | મોમીન ( પટેલ ) |
અલવી વોરા ( મુસ્લિમ ) | પટેલ ( મુસ્લિમ ) |
મુસ્લિમ ચાકી | કુરેશી ( સૈયદ ) |
સુલેમાંની વોરા | પઠાણ |
કાગઝી ( મુસ્લિમ ) | શેખ ( જે sebc/obc ન હોય તે ) |
જલાલી | વ્યાપારી ( મુસ્લિમ ) |
ખોજા | રંગરેજ, લીલાગર |
કાઝી | અતરવાલા |
મેમણ | નાગોરી લુહાર ( મુસ્લિમ ) |
મલિક. મલેક ( જે sebc/obc ન હોય તે ) |
બિન અનામત વર્ગ આયોગનું સરનામું
બ્લોક નંબર. 1/6, કર્મયોગી ભવન, સેક્ટર 10 એ, ગાંધીનગર. 382010, ફોન- 079-23258648
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )